
શ્રી યાગનો આજ કાલ લોકો જુદો અર્થ સમજે છે. જેમ કે શ્રી એટલે રૂપિયા-ધન-દોલત.
પણ આવું નથી. શ્રી એટલે સદ્લક્ષ્મી. આ લક્ષ્મી અષ્ઠ પ્રકારની હોય છે. અષ્ઠ લક્ષ્મી એટલે યશ- કિર્તી- સન્માન- સદ્ વિદ્યા- સદ્ બુધ્ધિ- શારીરિક શક્તિ- આનંદ- વૈભવ ની પ્રાપ્તિ. આ અષ્ઠ લક્ષ્મી છે. લક્ષ્મી ચંચળ છે. લક્ષ્મીનો સદુપયોગ કરવાથી જ લક્ષ્મી વધે છે. શ્રી યાગમાં હવન સામગ્રીમાં જવ, તલ, દાડમ, કેસર, પાયસ, કમલ કાકડીનુ દ્રવ્ય તથા ઘી મિશ્ર કરીને શ્રી સુક્તનાં સ્તોત્ર દ્વારા લક્ષ્મીજીનો યાગ સંપન્ન કરવાથી આપણી ૨૧ પેઢીમાં કોઈ દરિદ્ર થવા પામતો નથી અને નારાયણની કૃપા થઈ દરેક પ્રકારનાં વૈભવ પ્રાપ્ત થાય છે.





